Advertisement
Author: નોબત સમાચાર

શહેર-જિલ્લામાં ગઈકાલે કોરોનાના ચાર કેસ નોંધાયા

જામનગરમાં છેલ્લા બે દિવસમાં ઘટાડો નોંધાયો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરમાં સતત બે દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. ગઈકાલે શહેર-જિલ્લામાં જ કેસ નોંધાયા હતાં.

જામનગર શહેરમાં કોરોનાની ગતિ બે દિવસથી નબળી પડી છે. ગઈકાલે શહેરી વિસ્તારમાં  ત્રણ કેસ નોંધાયા હતા. જ્યારે ગ્રામ્ય વિસ્તાર એક કેસ નોંધાયા છે . શહેર વિસ્તારના ૩૯ દર્દીઓને હોમ આઇસોલેસન માં રાખવામાં આવ્યાં છે. જ્યારે એક દર્દી ને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા તેને પણ હોસ્પિટલ માંથી રજા આપી દેવામાં આવી છે.

આમ શહેરમાં હાલની સ્થિતએ  કુલ ૪૭ એક્ટિવ કેસ છે. જ્યારે ગ્રામ્ય વિસ્તાર માં ૫ એક્ટિવ કેસ છે. જામનગરના શહેરી વિસ્તારમાં છેલ્લા બે દિવસથી કેસમાં ઘટાડો જોવા મળતા રાહત મળી છે.

ગઈકાલે વધુ ત્રણ કેસ નોંધાયા છે. જેમાં ગવર્મેન્ટ કોલોની માં રહેતો ૨૦ વર્ષનો યુવાન, માધવનાગ-૧ના ૩૭ વર્ષના પુરુષ અને  સત્યમ કોલોની વિસ્તારના ૭૦  વર્ષના મહિલાનો સમાવેશ થાય છે. ગઈકાલે ૧૧ દર્દીને કોરોના મુકત જાહેર કરવામાં આવ્યા હતા.જ્યારે એક દર્દી  હોસ્પિટલ માં દાખલ હતા તેમને પણ રજા આપી દેવા આવી હતી. જામનગર શહેર માં હાલ  ની  સ્થિતિ એ કુલ ૩૯ એક્ટિવ  કેસ છે.

જામનગર ગ્રામ્ય વિસ્તારમા ગઈકાલે એક કેસ નોંધાયો હતો. લાખાબાવળ ગામના ૪૧ વર્ષના મહિલા કોરોના ગ્રસ્ત બન્યા છે. જેમને પણ હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તામાં હાલની સ્થિતિએ કુલ પાંચ એક્ટિવ કેસ છે. જ્યારે હોસ્પિટલમાં કોઈ દર્દી દાખલ નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh