Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ.સાડા બાર લાખ રોકડા મેળવી વેપારી પલાયનઃ
જામનગર તા. ૧૭: જામનગરના લાલપુર પંથકના વતની અને વર્ષાેથી સુરતમાં સ્થાયી થયેલા એક પરિવારના રૂ.સાડા બાર લાખ મેળવી મૂળ રાજસ્થાનનો અને સુરતમાં દુકાન ધરાવતો શખ્સ દુકાનને તાળા મારી પલાયન થઈ ગયો છે. જૂના ભાવના સોનાના દાગીના બનાવી આપવાનું કહી આ છેતરપિંડી આચરાઈ હતી.
સુરતના પુણા ગામથી બોમ્બે માર્કેટ તરફ જવાના રોડ પર રહેતા અને તમાકુના વેપાર સાથે સંકળાયેલા મૂળ જામનગરના હસમુખભાઈ મગનભાઈ ચાંગેલા સાથે નિલકંઠ જવેલર્સ નામની દુકાન ચલાવતા મૂળ રાજસ્થાનના વતની હનુમાનભાઈ છોગારામજી બિશ્નોઈ નામના વેપારીએ ઠગાઈ કર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
પૂજા સેલ્સ નામની દુકાન ચલાવતા હસમુખભાઈને પત્ની, પુત્ર તથા પુત્રવધૂ માટે સોનાના દાગીના બનાવવા હતા. ગયા ફેબ્રુઆરી મહિનામાં તેઓએ નિલકંઠ જવેલર્સવાળા હનુમાનભાઈને ભાવ પૂછ્યા પછી દાગીના બનાવવા માટે રૂ.સાડા બાર લાખ આપ્યા હતા અને તેની સામે હનુમાનભાઈએ સિક્યુરિટીમાં ચેક આપ્યો હતો.
ત્યારપછી હનુમાનભાઈ પોતાની દુકાન બંધ કરી પલાયન થઈ ગયા છે. મનિષાબેન હસમુખભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સોની વેપારી અન્ય કેટલાક લોકોના પણ પૈસા લઈને છૂમંતર થયાનું જાણવા મળ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial