Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્લ્ડ ડોનર્સ ડેની ઉજવણી અંતર્ગત
જામનગર તા. ૧૭: વર્લ્ડ ડોનર્સ ડે નિમિત્તે શ્રી સત્ય સાઈ વિદ્યાલયમાં જામનગર એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટર્સના નિર્દેશાનુસાર ૮ ગુજરાત નેવલ યુનિટ એનસીસી જામનગર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જી.જી. હોસ્પિટલની બ્લડ બેન્ક શાખા દ્વારા રક્તદાન એકત્રીકરણની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં,એનસીસીના આર્મી તથા નેવીના કેડેટ્સ, એએનઓ, પીઆઇ અને સિવિલ સ્ટાફ તથા શ્રી સત્ય સાઈ વિદ્યાલયના શિક્ષકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ૨૭ ગુજરાત એનસીસી બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મનીષ દેઓરે તથા ૮ ગુજરાત નેવલ યુનિટ એનસીસીના કમાન્ડિંગ ઓફિસર લેફ્ટનન્ટ કમાન્ડર સ્નેહા રાયની વિશેષ ઉપસ્થિતિ અને માર્ગદર્શન રહૃાું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial