Advertisement
Author: નોબત સમાચાર

ગઈકાલે ૧ કરોડ ૩૫ લાખ પછી આજે સવારમાં ૨૩ લાખ વસુલાયા

જીઆઈડીસીના ઉદ્યોગકારો પાસેથી જામ્યુકોની વેરાવસુલાત ઝુંબેશ આજે પણ યથાવત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરના જીઆઈડીસી ફેસ ૨-૩ વિસ્તારના ઉદ્યોગકારો પાસેની બાકી વેરા રકમની વસુલાત માટે ગઈકાલથી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. ગઈકાલે એક કરોડ ૩૫ લાખની વસુલાત કરવામાં આવી હતી. પાંચ મિલકતો સીલ કરવામાં આવી હતી. જયારે એક કારખાનેદાર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. આજે પણ વસુલાત કામગીરી ચાલુ કરવામાં આવી છે. અને રૂ. ૨૩ લાખની વસુલાત થવા પામી છે.

દરેડ જીઆઈડીસી વિસ્તાર ૪૦૦ કારખાનેદારો પાસેની જુની ૧૭ કરોડ અને ચાલુ વર્ષની ડીમાન્ડનો ઉમેરો કરતા કુલ ૪૦ કરોડની વસુલાત કરવાની થાય છે. મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીની સૂચનાથી ઈન્ચાર્જ આસી. કમિશનર (ટેક્ષ) જીગ્નેશ નિર્મળની રાહબારી હેઠળ ટેકસ શાખાની રીકવરી ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત હેઠળ આ વસુલાત ઝુંબેશનો ગઈકાલથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ગઈકાલે કુલ ૧૧ મિલકતધારકોને ત્યાં કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ૬ મિલકત (પ્લોટ) ધારકોએ રૂ. ૧ કરોડ ૩૫ લાખની રકમ સ્થળ ઉપર ભરપાઈ કરી હતી. જયારે પાંચ મિલકતો સીલ કરવામાં આવી હતી.

ગઈકાલ પછી આજે પણ આ વસુલાત કામગીરી ચાલુ રાખવામાં આવી છે. આજે સવારે ચાર પ્લોટ ધારકોએ રૂ. ૨૩ લાખની રકમ ભરપાઈ કરી હતી.

આ ઉદ્યોગનગર વિસ્તારમાંથી મળનાર વેરા વસુલાતમાંથી ૭૫ ટકા રકમ એ જ વિસ્તારમાં વિકાસ કાર્ય માટે ખર્ચ કરવામાં આવનાર છે. આથી લોકો વેરા ભરપાઈ કરી સહયોગ આપે તેવી અ૫ીલ મહાનગર પાલિકાએ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh