Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રદુષણ નિવારણ બોર્ડની ટીમ આંટા મારીને જતી રહી, બોલો !
જામનગર તા. ૧૭: જામનગર નજીકના જી.આઈ.ડી.સી. દરેડ વિસ્તારના ઉદ્યોગકારોએ પોતાના યુનિટમાંથી કેમિકલવાળું પાણી છોડતા કેનાલમાં આ પાણીનો ભરાવો થયો છે. જો વરસાદ થશે તો આ કેમિકલવાળું પાણી તળાવમાં ઠલવાશે જેથી જળચર જીવોને નુકસાન થશે. બીજી તરફ પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ટીમ આંટા મારીને પણ પરત જતી રહી છે.
દરેડ ઔદ્યોગિક વિસ્તારના સમગ્ર કારખાના સંચાલકો ઉદ્યોગમાંથી નિકળતા પીળા અને કેમિકલવાળા પાણીનો કેનાલમાં નિકાલ કરવામાં આવ્યો છે. આજની સ્થિતિએ કેનાલમાં કેમિકલવાળું પાણી નજરે ચઢે છે, જો વરસાદ થશે અને વરસાદી પાણી કેનાલમાં આવશે તો તે પાણી સાથે કેમિકલયુક્ત પાણી પણ તળાવમાં ઠલવાશે જેથી તળાવમાં રહેલા જળ અને જીવસુષ્ટિને નુકસાન થશે.
ગુજરાત પ્રદુષણ વિભાગ બોર્ડની સ્થાનિક કચેરીની ટીમે થોડા દિવસ પહેલા ઉદ્યોગનગરના અમૂક કારખાનામાં ચેકિંગ હાથ ધર્યુ હતું અને જરૂરી નમૂના લઈ તેનો રિપોર્ટ વડી કચેરીને કર્યો હતો, પરંતુ આજ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આમ સ્થાનિક કચેરીની નબળી કામગીરીના કારણે લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા છે. સાથે જળચર જીવોનું પણ નિકંદન નિકળી રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial