Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં વરસાદના કારણે ૪૯ ગામમાં વીજપુરવઠો ખોરવાયોઃ ૧૭૩ ફીડર બંધ

પ્રથમ વરસાદમાં જ નવ વીજ પોલ ધરાશાયીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગર જિલ્લામાં ગઈકાલે રાત્રે પડેલા પ્રથમ વરસાદના કારણે વિજ તંત્રને પણ અસર થઈ હતી, અને ગઈકાલે ૪૯ ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. કુલ ૧૭૩ વીજ ફીડરો બંધ થયા હતા, જયારે નવ વિજ પોલ ધરસાઈ થઈ ગયા હતા.

જામનગર જિલ્લામાં ગઈકાલે સાંજથી વરસાદ શરૂ થયો હતો, ત્યારબાદ રાત્રિના સમયગાળા દરમિયાન સમગ્ર જિલ્લાના કુલ ૪૯ ગામમાં પુરવઠો ખોરવાયો હતો. જો કે વીજ તંત્ર દ્વારા ૧૩ ગામમાં રાત્રી દરમિયાન વિજ પુરવઠો શરૂ કરી દેવાયો હતો, જ્યારે બાકીના ૩૬ ગામોમાં અત્યારે સમાર કામની કામગીરી યુદ્ધ ના ધોરણે ચાલી રહી છે, અને એક પછી એક ગામમાં વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવી રહૃાો છે.

 સમગ્ર જિલ્લામાં ૧,૧૩૮ ફીડર પૈકી ફુલ ૧૭૩ ફીડર માં પ્રથમ વરસાદ માંજ બંધ થયા હતા જે પૈકીના ૨૧ ફીડર રાત્રે ચાલુ થઈ ગયા હતા, પરંતુ બાકીના ૧૫૨ ફીડર શરૂ કરવા માટે હાલ કામગીરી ચાલી રહી છે.

 ગઈકાલે રાત્રિ દરમિયાન સમગ્ર જિલ્લામાં કુલ ૯ વીજ પોલ ધરાસાઈ થઈ ગયા હતા, જે પૈકી બે વીજપોલ રાત્રી દરમિયાન ઊભા કરાવી દેવામાં આવ્યા હતા, જ્યારે બાકીના ૭ વીજકોલ માં સમારકામ માટેની કાર્યવાહી ચાલી રહી છે. ગઈકાલે રાત્રે પડેલા વરસાદ બાદ વિજ તંત્રને રૂપિયા ૧૨ લાખનું નુકસાન થયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh