Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે શકિતનગરના એક નાગરિક સાથે ટ્રસ્ટીઓની બોલાચાલી થઈ હતી
ખંભાળિયા તા. ૧૭: ખંભાળિયામાં ખામનાથ પાસે આવેલા સાર્વજનીક હિન્દુ સ્મશાનમાં રાત્રે નવ વાગ્યા પછી અંતિમવિધિ કરવામાં ના આવતા આ બાબતે ગઈકાલે શકિતનગરના એક ગઢવી અગ્રણી તથા સ્મશાનના ટ્રસ્ટીઓ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી.
શકિતનગરના ગઢવી અગ્રણી દ્વારા જણાવાયેલ કે રાત્રે ૭-૮ વાગ્યે કોઈ પુરૂષ મૃત્યુ પામે અને તેના સ્વજનો આવતા અને અંતિમવિધિની તૈયારી કરતા દશેક વાગી જાય અને જો સ્મશાનમાં નવ વાગ્યા પછી ના આવવા દેવાય તો, મૃતદેહને ઘરમાં રાખીને રાત આખી બેસવું? મૃતદેહ હોય ત્યાં સુધી બાળકોને પણ જમવા ના આપી શકાય તો આ નવ વાગ્યાના નિયમમાં ફેરફાર કરવા માંગ કરાઈ હતી.
આ બાબતે સ્મશાનના ટ્રસ્ટી દ્વારા એક મુલાકાતમાં જણાવાયેલ કે નવ વાગ્યા સુધી લાકડાનું સ્મશાન બંધ હોય ઈલેકટ્રીક ૧૧-૧૨ વાગ્યા સુધી ચાલુ છે તેમાં કરી શકાય જામનગરમાં પણ રાત્રે નવ વાગ્યા પછી લાકડાનું સ્મશાન બંધ રહે છે.
જો કે હિન્દુ સ્મશાનની નજીક આવેલા કબ્રસ્તાનમાં નવ વાગ્યા ના આવવુ તેવા બોર્ડ નથી લાગ્યા ત્યારે હિન્દુ સ્મશાનમાં આવા બોર્ડ હોય લોકોમાં કચવાટની લાગણી સાથે યોગ્ય ઉકેલ લાવવાની પણ માંગ થઈ છે. જેથી નાનકડા ગામમાં કોઈ વિવાદ ન થાય.!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial