Advertisement
Author: નોબત સમાચાર

દિગ્જામ સર્કલ પાસેથી બેભાન હાલતમાં મળેલા અજાણ્યા યુવાનનું સારવારમાં મૃત્યુ

મૃતકની ઓળખ આપવા પોલીસનો અનુરોધઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરના દિગ્જામ સર્કલ પાસેથી ત્રણ સપ્તાહ પૂર્વે બેભાન હાલતમાં મળી આવેલા અજાણ્યા યુવાનનું સારવારમાં મૃત્યુ થયું છે. પોલીસે મૃતકની ઓળખ આપવા જાહેર જનતાને અનુરોધ કર્યાે છે.

જામનગરના દિગ્જામ સર્કલ પાસેથી ગઈ તા.૧૯ મેના દિને એક અજાણ્યા યુવાન બેશુદ્ધ હાલતમાં મળી આવ્યા હતા. આ યુવાનને ૧૦૮ મારફતે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં તેઓનું સારવાર દરમિયાન રવિવારે મૃત્યુ નિપજ્યું છે. આ મૃતક પાતળો બાંધો, શ્યામવર્ણ ધરાવે છે. તેઓના છાતીના ભાગે પૂનમદેવી તથા ધનેશ્વર નામ ત્રોફાવેલા છે. મૃતક અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ સિટી સી ડિવિઝનના પીએસઆઈ આર.કે. ખલીફાનો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh