Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોણા ત્રણ વર્ષ પહેલાં ટ્રક પલ્ટી મારી ગયો હતોઃ
જામનગર તા. ૧૭: જામનગરના એક આસામીના ટ્રકને પોણા ત્રણ વર્ષ પહેલાં અકસ્માત નડ્યો હતો. તેનું વળતર ચૂકવવાનો વીમા કંપનીએ ઈન્કાર કરતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે વ્યાજ સાથે વળતર ચૂકવવા આદેશ કર્યાે છે.
જામનગરના નગાભાઈ ધાનાભાઈ કોડીયાતર નામના આસામીએ પોતાના ટ્રક માટે રિલાયન્સ જનરલ ઈન્સ. કંપની પાસેથી વીમો મેળવ્યો હતો. તે પોલિસી ચાલુ હતી તે દરમિયાન અદાણી પોર્ટમાં તેમનો ટ્રક ગોથું મારી જતા ટ્રકમાં રૂ.૪ લાખની નુકસાની થઈ હતી.
તેની જાણ વીમા કંપનીને કરવામાં આવતા વીમા કંપનીએ વળતર ચૂકવવા ઈન્કાર કર્યાે હતો. તેથી ગ્રાહક ફોરમમાં વીમા કંપની સામે ફરિયાદ કરાઈ હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે રૂ.૪ લાખ નવ ટકાના વ્યાજ સાથે બે મહિનામાં ચૂકવી આપવા અને ફરિયાદ ખર્ચના રૂ.પ હજાર અલગથી આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ગ્રાહક તરફથી વકીલ ભાર્ગવ મહેતા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial