Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈઝરાયલના દાવાની ઈરાને પુષિટ કરી નથી
તહેરાન તા. ૧૭: ઈરાનના નવા આર્મી ચીફનું મોત થયુ હોવાના ઈઝરાયલના દાવાથી મિડલ-ઈસ્ટમાં હડકંપ મચ્યો છે. અને યુદ્ધ વધુ ભીષણ બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની સ્થિતિ સતત વણસી રહી છે. ઈઝરાયલની સેનાએ ઈરાનના હાલમાં નિમણૂક કરાયેલા ચીફ ઑફ સ્ટાફ અને વરિષ્ઠ સૈન્ય કમાન્ડર પૈકી એક અલી શાદમાનીનું મિસાઈલ હુમલામાં મોત થયુ હોવાનો દાવો કર્યો છે. ઈઝરાયલના આ દાવાથી મિડલ-ઈસ્ટમાં હડકંપ મચ્યો છે. ઈરાન તેનો બદલો લેવા ઈઝરાયલ પણ વધુ જોર સાથે હુમલો કરે તેવી શક્યતાઓ વધી છે.
શાદમાની ઈરાનના સર્વોચ્ચ નેતા અલી હોસેની ખામેનેઈના નજીકના સૈન્ય સલાહકાર હતા. ઈઝરાયલની ડિફેન્સ ફોર્સે દાવો કર્યો છે કે, તેમણે ઈરાનના એક સૈન્ય મથક પર મિસાઈલ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં શાદમાની માર્યા ગયા છે. તેઓ થોડા સમય પહેલાં જ ઈરાનની ડિફેન્સ ફોર્સના ચીફ ઑફ સ્ટાફ બન્યા હતા. આ હુમલો તેહરાન નજીક સ્થિત એક કમાન્ડ પોસ્ટ પર થયો હતો.
ઈઝરાયલના આ દાવાની ઈરાને હજુ સુધી કોઈ સત્તાવાર ખાતરી આપી નથી. જો કે, તેણે ડિફેન્સ કાઉન્સિલની ઈમરજન્સી બેઠક બોલાવી છે. અને જવાબી કાર્યવાહી કરવાની આશંકાઓ વ્યક્ત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial