Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાંચ માંગવાનો નોંધાયો છે ગુન્હોઃ
જામનગર તા. ૧૪: જામનગરના એક પોલીસકર્મી સામે લાંચ માંગ્યાનો ગુન્હો નોંધાયા પછી તેણે આગોતરા જામીન મેળવવા અદાલતમાં અરજી કરી હતી. તે અરજી અદાલતે નકારી કાઢી છે.
જામનગરના એક આસામીની ઈકો મોટર વર્ષ ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી વખતે રિક્વિઝીટ કરવામાં આવી હતી. ચૂંટણી પૂર્ણ થયા પછી તે આસામીને સરકાર દ્વારા નિયમ મુજબનું ભાડુ ચૂકવવા હુકમ કરાયો હતો. તે પછી ભાડાના નાણા આ વ્યક્તિના પિતાના બેંક ખાતામાં જમા કરાવાયા હતા.
તે દરમિયાન પોલીસ કર્મચારી દેવસુરભાઈ સાગઠીયાએ તે ભાડામાંથી રૂ.૬ હજારની લાંચ માંગ્યાની ફરિયાદ જે તે વખતે એસીબીમાં કરવામાં આવી હતી અને તેના પગલે સવા વર્ષ પહેલાં છટકુ ગોઠવાયું હતું.
તે છટકુ કોઈ રીતે નિષ્ફળ થયા પછી દેવસુરભાઈ સામે કેસ નોંધાયો હતો. આ ગુન્હામાં આગોતરા જામીન મેળવવા માટે પોલીસકર્મી દેવસુરભાઈએ અદાલતમાં અરજી કરી હતી. તે અરજી અદાલતે નકારી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial