Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોડિયાના પ્રસિદ્ધ 'રામવાડી' આશ્રમમાં
જોડિયા તા. ૧૪: ઉદાસીન સંત કુટિર રામવાડી જોડિયાધામ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ૧૦૦૮ સદ્દગુરૃદેવ શ્રી ભોલેબાબાજીની ૩૮ મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો શ્રી ઉદાસીન સંત કુટિર રામવાડી આશ્રમ, જોડિયા, જી. જામનગરમાં યોજવામાં આવ્યા છે. જેમાં તા. ર૩-૬-૨૦૨૪, રવિવારે બપોરે ૧ર વાગ્યે ઢોલ-નગારા અને ઝાલરના નાદ સાથે સંત શ્રી ભોલેબાબાજીના મંદિરમાં મહાઆરતી, ૧રઃ૧પ વાગ્યે સાધુ-સંતો અને ભકતો ભાટે ભંડારો (મહાપ્રસાદ) રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત તા. રર-૬ ને શનિવારે સાંજે ૪ થી ૭ વાગ્યા દરમિયાન શ્રી જયોતિ સ્વરૃપ બાલા હનુમાનજી મહારાજદાદાના સન્મુખ સંગીતમય સુંદરકાંડનો પાઠ રાખવામાં આવ્યો છે. આ દિવ્ય પાવન અવસરે સમગ્ર મંદિરને લાઈટીંગ અને પુષ્પોથી સુશોભીત કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રામવાડી ગ્રુપના દરેક યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial