Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હિસ્સો અલગ કરવા થયો છે દાવોઃ
જામનગર તા. ૧૪: જામનગર નજીકના મોરકંડામાં આવેલી જગ્યામાંથી પોતાનો હિસ્સો જુદો કરી આપવા બે આસામીએ અદાલતમાં દાવો કરી વચગાળાના મનાઈહુકમની માગણી કરતા અદાલતે યથાવત પરિસ્થિતિ જાળવી રાખવા હુકમ કર્યાે છે.
જામનગરના મોરકંડા ગામમાં રે.સ.નં. ૪૬, ૪૭, ૪૮, ૪૯, ૫૩વાળી જગ્યામાં હેમતભાઈ મુળજીભાઈ પરમાર, મહેશ મુળજીભાઈ પરમારે પોતાનો હિસ્સો જુદો કરી આપવા કોર્ટમાં દાવો કર્યાે હતો.
તે દાવા દરમિયાન સહ માલિકો તે જગ્યા અન્યને ટ્રાન્સફર ન કરે તે માટે વચગાળાનો મનાઈહુકમ મેળવવા અરજી કરાઈ હતી. અદાલતે તે જગ્યાની યથાવત પરિસ્થિતિ જાળવી રાખવા હુકમ કર્યાે છે. બંને અરજદાર તરફથી વકીલ જયેશ ભદ્રા, જીગર જે. દવે, રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial