Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાહુલ ગાંધી વાયનાડ જાળવે અને રાયબરેલીની પેટા ચૂંટણી પ્રિયંકા જીતે તેવો વ્યૂહ?
નવી દિલ્હી તા. ૧૪ : રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણી વાયનાડ અને રાયબરેલીથી લડ્યા હતા અને બન્ને સ્થળે વિજયી બન્યા હતા હવે રાહુલ ગાંધી વાયનાડની બેઠક જાળવી રાખશે તો રાયબરેલીની ખાલી બેઠકની પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધીને જીતાડીને ઉત્તર પ્રદેશ અને કેરળમાં કોંગ્રેસની બુનિયાદ વધુ મજબૂત બનાવવાનો વ્યૂહ કોંગ્રેસે અપનાવ્યો હોય તેમ જણાય છે.
રાજકીય વિશ્લેષકો પણ હવે એવું માને છે કે, રાહુલ ગાંધીને બે પદયાત્રાઓ અને લોકસભાની ચૂંટણીમાં ધૂંઆધાર પ્રચાર પછી ઉત્તર ભારત તથા દક્ષિણભારતમાં કોંગ્રેસનો જનાધાર વધ્યો છે અને વર્ષ-ર૦૧૯ થી ડબલ બેઠકો લોકસભામાં મેળવી છે ત્યારે બહેન-ભાઈ મળીને દેશભરમાં કોંગ્રેસને વધુ મજબૂત બનાવવાનો આ સોનેરી તક કોંગ્રેસ માટે એક માઈલસ્ટોન અથવા મજબૂત બુનિયાદ બની શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial