Advertisement
Author: નોબત સમાચાર

સિક્કાના હોમગાર્ડ જવાનના વારસદારને રૂ. ૧.પપ લાખની સહાયનો ચેક અપાયો

હૃદયરોગના હુમલાને કારણે અવસાન થતા

જામનગર તા. ૧૩: જામનગર જિલ્લાના સિક્કા યુનિટના હોમગાર્ડઝ સભ્ય હસમુખભાઈ ભગવાનજીભાઈ જાદવનું હૃદયરોગના હુમલાને કારણે અવસાન થતાં જિલ્લા કચેરીના વહીવટી સ્ટાફ અને સિક્કા યુનિટના ઓફિસર કમાન્ડિંગ મારફત તેમના પત્ની તેજલબેન હસમુખભાઈ જાદવે હોમગાર્ડઝ કલ્યાણ નિધીમાંથી અવસાન સહાય મેળવવા દરખાસ્ત કરેલ. જે ધ્યાને લઈ વડી કચેરીની કમિટી દ્વારા આ દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી જે અનુસંધાને મૃતકના પરિવારજનોને હોમગાર્ડઝ કલ્યાણ નિધીમાંથી રૂ. ૧,પપ,૦૦૦ ની સહાય મંજુર થતા આ રકમનો ચેક જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા, સિક્કા કમાન્ડિંગ ઓફિસર શ્રવણ પ્રજાપતિ તથા વહીવટી કર્મી ગીરીરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં તેમના વારસદાર પત્નીને આપવામાં આવ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh