Advertisement
Author: નોબત સમાચાર

સિંધી માર્કેટ બંધ કરાવવાની ધમકી આપતા મહિલા કોર્પોરેટર

સિંધી સમાજ નારાજઃ કલેક્ટરને આવેદન પાઠવ્યું:

જામનગર તા. ૧૪: જામનગરના પથારાવાળાને મંજુરી આપો અન્યથા સિંધી માર્કેટની તમામ દુકાનો બંધ કરાવીશું તેવી મહિલા કોર્પોરેટરની ધમકી સામે આજે સિંધી ક્લોથ માર્કેટ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

આ રજૂઆતમાં વેપારીઓએ જણાવ્યું છે કે, અમો કાયદેસરની દુકાનો ધરાવીએ છીએ અને તમામ વેરા-બીલો ભરપાઈ કરવામાં આવ્યા છે.

જ્યારે અહિંના વિસ્તારમાં પથારાવાળા-ફેરિયાઓને મહાનગરપાલિકાએ દૂર ખસેડતા મોબાઈલમાં ફેસબુક માધ્યમથી નગર સેવિકા રચનાબેનએ ખુલ્લી ધમકી આપી હતી કે, પથારાવાળાઓને ર૪ કલાકમાં પાછું ચાલુ કરવા દેવામાં નહીં આવે તો બર્ધનચોકની સિંધી માર્કેટની તમામ દુકાનો બંધ કરાવી દેવામાં આવશે. આથી મહિલા કોર્પોરેટર દ્વારા બે સમાજ વચ્ચે ઘર્ષણ થાય તેવું કૃત્ય કરવામાં આવ્યું છે. આથી સિંધી સમાજની લાગણીને ઠેંસ પહોંચી છે. અમારા વેપાર-ધંધા ઉપર માઠી અસર જોવા મળી રહી છે.

લાખોના ખર્ચે દુકાન ખરીદી, તમામ વેરા ભરપાઈ કરીને ધંધો કરતા સિંધી વેપારીઓને બંધ કરવાની ધમકી મહિલા કોર્પોરેટર રચનાબેને આપી છે, અને ગેરકાયદે રીતે ધંધો કરતા પથારાવાળાનું ઉપરાણું લઈને અમોને બંધ કરવાની ધમકી આપવાના પ્રકરણમાં ન્યાય આપવો જોઈએ તેવી માંગણી આ આવેદનમાં કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh