Advertisement
Author: નોબત સમાચાર

જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ સમિતિની બેઠક

જામનગર જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં

જામનગર તા.૧૪ : જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં સંચારી રોગોની અટકાયત અંગે જિલ્લા સર્વેક્ષણ અને સંકલન સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટર બી.કે. પંડ્યાના અધ્યક્ષસ્થાને આયોજીત બેઠકમાં પાણીનું રીકલોરિનેશન, ઘન કચરાનો નિકાલ, હોટેલોમાં ખોરાકની તપાસણી, લારી-ગલ્લાનું રેગ્યુલર ચેકીંગ તેમજ અન્ય જરૃરી મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી.

બેઠકમાં સમિતિના સભ્યો સાથે ચર્ચા કર્યા બાદ જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષા સુધી પીવાના પાણીનું નિયમિત પણે રી-કલોરીનેશન થયા તે માટે ડેઈલી રિપોર્ટીંગ થાય છે અને હેલ્થ વર્કર્સને તાલીમ અપાઈ છે. આઈસ ફેકટરી, ખાણીપીણીના ગલ્લા, લારી, લોજ અને હોટેલોમાં ખોરાકના જથ્થાનું સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાશે. પાણીજન્ય રોગ, ટાઈફોઈડ, હિપેટાઈટીસ એ, હિપેટાઈટીસ ઈ અને મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાને રોકવા માટે છેવાડાના ગામડા સુધી રસીકરણની પ્રક્રિયા હાથ ધરાઈ છે. પીવાના પાણીના શુદ્ધિકરણ માટે કલોરીન ટેબ્લેટ અને ટીસીએલ પાવડરનો પુરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે તેમજ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘન કચરાનો વ્યવસ્થિત રીતે નિકાલ થાય, સ્વચ્છતા જળવાઈ રહે, પાણીના નમુનાની બેકટેરિયલોજીકલ તપાસ કરવામાં આવે અને પાણીની પાઈપલાઈનમાં જો કોઈ લીકેજની ફરિયાદ મળે તો તે તાત્કાલિક રીપેર કરવાની જિલ્લા કલેકટરએ સમિતિના સભ્યોને સૂચના આપી હતી.

ઉકત સમીક્ષા બેઠકમાં જિલ્લા અધિકારી વિકલ્પ ભારદ્વાજ, આર.સી.એચ.ઓ. ડો. નૂપુર પ્રસાદ, જિલ્લા સર્વેક્ષણ અધિકારી ડો. એસઆર રાઠોડ, ફૂડ સેફટી ઓફિસર સુશ્રી એસ.જે. પ્રજાપતિ, તાલુકા આરોગ્ય અધિકારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીગણ અને સમિતિના અન્ય સભ્યો હાજર રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh