Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેટલાક વારસોએ કરી હતી વાંધા અરજીઃ
જામનગર તા. ૧૪: જામનગરમાં આવેલી એક જમીન તેમના વારસદારોની જાણ બહાર બિનખેતી કરવાની અરજી કરાતા તે જમીનના કેટલાક વારસદારોએ વાંધા અરજી કરી હતી. તેને મંજૂર રાખી કલેક્ટરે બિનખેતી કરવાની અરજી રદ્દ કરી છે.
જામનગર શહેરના (૩બી)ના ૭૯૦ નંબરના રે.સ. નં.માં ઘાંચી કાસમ મુસાને દરબારી હક્કથી જમીન મળી હતી. તે જમીનમાં કાસમ મુસાના સંતાન સુલેમાન હાજી ઈશા, પુત્રી મરીયમ, ખતીજા અને રાભીયા વારસદાર તરીકે હતા. તેમાંથી હાજી ઈશાએ પોતાનો હિસ્સો સુલેમાન તરફે જતો કર્યાે હતો.
તે પછી ત્રણેય પુત્રીએ પોતાનો હક્ક-હિસ્સો મેળવવા કોર્ટમાં મુસ્લિમ કાયદા મુજબ પાર્ટીશનનો દાવો કર્યાે હતો. તે દાવો હાલમાં પેન્ડીંગ છે. તેમ છતાં તે જમીન બિનખેતી કરવાની માગણી સાથે કલેકટર સમક્ષ અરજી કરાતા મરીયમ, ખતીજા અને રાભીયા કાસમના વારસોએ વાંધા અરજી કરી હતી. તે અરજી અંગે થયેલી સુનાવણી પછી કલેકટરે બિન ખેતીની પરવાનગી મેળવવા કરાયેલી અરજી રદ્દ કરી છે. વાંધેદાર તરફથી વકીલ ગિરીશ ગોજીયા, ભાવેશ કરંગીયા, સચિન હોરીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial