Advertisement
Author: નોબત સમાચાર

મોટા માંઢા ગામમાં અગમ્ય કારણથી પરિણીતાની ફાંસો ખાઈ આત્મહત્યા

કારણ જાણવા પોલીસ દ્વારા તપાસઃ

જામનગર તા. ૧૪: ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામમાં રહેતા એક બાવાજી પરિણીતાએ અગમ્ય કારણથી ગઈકાલે ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. આ યુવતીના સવા વર્ષ પહેલાં લગ્ન થયા હોવાનું ખૂલ્યું છે. પોલીસે આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૃ કરી છે.

ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામમાં વસવાટ કરતા હસ્તીબેન તેજસગીરી ગોસ્વામી (ઉ.વ.રર) નામના યુવતીએ ગઈકાલે બપોરે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણથી જિંદગીનો અંત આણવાનો નિર્ણય કરી ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ મહિલાનું શ્વાસ રૃંધાઈ જવાના કારણે મૃત્યુ નિપજયું છે. ભરતપરી દયાપરી ગોસાઈએ પોલીસને જાણ કરી છે. પીએસઆઈ આર.જી. વસાવાએ મૃતદેહને પી.એમ. માટે ખસેડી તપાસ હાથ ધરી છે. આ યુવતીના સવા વર્ષ પહેલાં લગ્ન થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh