Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાષ્ટ્રીય સંત પૂ. ગુરુદેવ નમ્રમુનિ મ.સા.ની પ્રેરણા
જામનગર તા. ૬: રાષ્ટ્રીય સંત પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. પ્રેરીત આયંબીલની ઓળીની ઉજવણી કરવાાં આવી રહી છે.
સી.એ. ધૈર્ય મહેતાએ જણાવ્યા મુજબ આયંબીલની ઓળી છ દિવસ માટે હોય છે. શા માટે? સ્વાદનો, ચસ્કો હોય તેના માટે આયંબીલ જરૂરી છે.
ગત્ તા. ૪-૪-ર૦રપ થી આયંબીલનની ઓળીનું પર્વ શરૂ થયું છે તે ૧ર-૪-ર૦રપ સુધી ચાલશે. આજે ચોથો દિવસ છે. જેમાં દરરોજ પ૦ થી વધુ બાળકો અને ઉઝવણીના અંતે આશરે પ૦૦ બાળકો ઓળીનું તપ કરી રહ્યા છે. આયંબીલમાં આખા દિવસમાં એક જ વખત ભોજન કરવાનું હોય છે, અને તેમાં પણ ગળ્યું, તીખું, ખારૂ, તેલ, મસાલા વગેરેનો તો ત્યાગ કરવાનો હોય છે.
અહિં બાળકો ટેસ્ટલેશ ભોજન ગ્રહણ કરે છે. શહેરના અંબર સિનેમા માર્ગે કામદાર વાડીમાં આયંબીલની ઓળીનું છ દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં દરરોજ બાળકો હોંસભેર જોડાઈ રહ્યા છે. જેને સ્વાદ વિજ્યોત્સવ તરીકે ગણવામાં આવે છે. ત્યાં બાળકો માટે લુક એન્ડ લર્ન સાથેની ગેમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ મનોરંજન નથી, પરંતુ મનોમંથન માટે છે. અહિંની દરેક ગેમમાંથી બાળકોને કાંઈક શિખવાનું મળે છે.
આયંબીલમાં બાળકોને આપવા માટે પણ નિમંત્રણ પાઠવાયું છે. જેથી તેઓ આયંબીલમાં જોડાઈ શકે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial