Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મના ગુન્હામાં ૨૦ વર્ષની કેદ

પરપ્રાંતીય શખ્સને ૨૦ હજારનો દંડ પણ કરાયોઃ

જામનગર તા.૭ : ખંભાળિયા પંથકની સગીરાનું એક વર્ષ પહેલાં લગ્નની લાલચ આપી અપહરણ કરાયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે દુષ્કર્મ ગુજારનાર આ આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યા છે. ભોગ બનનારને વળતર ચૂકવવામાં આવશે.

ખંભાળિયા ૫ંથકમાં વસવાટ કરતા એક પરિવારની સગીર વયની પુત્રીને ગઈ તા.૬-૩-૨૪ના દિને બિહાર રાજ્યના ગયા જિલ્લાના ધનીયા બગીચા ગામનો રણજીતકુમાર કાળુ બીદ નામનો શખ્સ લગ્ન કરવાના ઈરાદે નસાડી ગયો હતો. જેની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

ત્યારપછી પોલીસે તપાસ દરમિયાન આરોપીને બિહાર રાજ્યમાંથી પકડી પાડ્યો હતો. તેણે આ સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું ખૂલતા પોલીસે આઈપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬ તેમજ પોક્સો એકટ કલમ હેઠળ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

ઉપરોક્ત કેસ ખંભાળિયાની ખાસ પોક્સો અદાલતમાં ચાલી જતાં અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી રણજીતકુમાર કાળુ બીદને તક્સીરવાન ઠરાવી વીસ વર્ષની સખત કેદની સજા અને રૂ.૨૦ હજારનો દંડ ફટકાર્યાે છે. ભોગ બનનારને રૂ.૧ લાખ વળતર પેટે ચૂકવવા આદેશ થયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh