Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વકફ બિલને સમર્થન આપવુ મોંઘુ પડયું
નવી દિલ્હી તા. ૭: વકફ બિલને સમર્થન જેડીયુને ભારે પડયું છે. બિહારમાં એક સાથે ૧૫ મુસ્લિમ નેતાઓએ રાજીનામાં ધરી દેતા નિતેશકુમાર રાજકીય રીતે સંકટમાં ઘેરાઈ રહેલ જોવા મળે છે.
નવી દિલ્હી તા. ૭: વકફ બિલને સમર્થન જેડીયુને ભારે પડયું છે. બિહારમાં એક સાથે ૧૫ મુસ્લિમ નેતાઓએ રાજીનામાં ધરી દેતા નિતેશકુમાર રાજકીય રીતે સંકટમાં ઘેરાઈ રહેલ જોવા મળે છે.
બિહારના મોતિહારી જિલ્લાથી એકસાથે ૧૫ જેટલા મુસ્લિમ નેતાઓએ જનતા દળ યુનાઈટેડ (જેડીયુ)માંથી સામૂહિક રાજીનામા આપી દીધા છે. વક્ફ બિલ મુદ્દે મોદી સરકારને સમર્થન આપ્યા બાદથી જેડીયુની મુશ્કેલી વધી ગઇ છે. મુસ્લિમ નેતાઓનો જેડીયુથી મોહભંગ થતો દેખાઈ રહૃાો છે.
વક્ફ સુધારા બિલને લોકસભા અને રાજ્યસભા બાદ રાષ્ટ્રપતિની પણ મંજૂરી મળી ગઈ છે ત્યારથી મુસ્લિમ વર્ગમાં ભારે નારાજગી દેખાઈ રહી છે. હવે મોતિહારીમાં એકસાથે ૧૫ મુસ્લિમ નેતાઓએ નારાજ થઇને જેડીયુમાંથી રાજીનામું આપી દીધું છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, આ ૧૫ નેતાઓ ઉપરાંત અમુક કાર્યકરોએ પણ જેડીયુમાંથી રાજીનામું આપ્યું છે. મુસ્લિમ નેતાઓ અને કાર્યકરોની નારાજગીની વાતને ખોટી અફવા બતાવી છે. જેડીયુના કેટલાક વરિષ્ઠ નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, કોઈ મુસ્લિમ નેતા કે, કાર્યકર વક્ફ બિલના સમર્થન બદલ નારાજ નથી. અમુક લોકો અફવાઓ ફેલાવી રહૃાા છે. પરંતુ હવે જેડીયુમાંથી ધડાધડ મુસ્લિમ નેતાઓના રાજીનામા ખાતરી આપે છે કે, તેઓ પક્ષથી નારાજ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial