Advertisement
Author: નોબત સમાચાર

ચૈત્રની શાશ્વતી આયંબીલ ઓળીનો પ્રારંભઃ તા. ૧૩ ના પારણા

શ્રી સ્થાનકવાસી જૈન સંઘ-ચાંદીબજાર દ્વારા

સ્થાનકવાસી જૈન સંઘ-ચાંદીબજાર જામનગર દ્વારા ચૈત્ર માસની શાશ્વતી આયંબીલ ઓળીની શરૂઆત થઈ ગઈ છે, અને પારણા સમારોહ તા. ૧૩ એપ્રિલે થશે. જામનગર શહેરમાં બીરાજતા ગોંડલ સંપ્રદાયના બહુશ્રુત આચાર્ય સ્વ. પૂ. શ્રી જલાજી સ્વામીના પાઠાનુપાટ સ્વ. પૂ. સ્થવીર ગુરુદેવ શ્રી પ્રેમચંદજી મ.સા.ના શિષ્ય રત્ન આગમ અર્કદર્શક ચારિત્ર નિષ્ઠા પ.પૂ. ગુરુભગવંત બા.બ્ર. શ્રી રાજેશમુનિજી મ.સા.ના આજ્ઞાનુવર્તિની હિરલ ગુરુણીના પરિવારના સુદીર્ઘ સંયમ સ્થવીરા પૂ.બા.બ્ર. કુસુમબાઈ મ.સા.ના સુશિષ્યા પ.પૂ.બા.જી હિતળાજી મ.સ., પ.પૂ. બા.બ્ર. ધર્મજ્ઞાજી મ.સ., પ.પૂ. બા.બ્ર. વિશુદ્ધિજી મ.સ.ની નિશ્રામાં સંવત ર૦૮૧ ચૈત્ર સુદ સાતમ તા. ૪-૪-ર૦રપ ને શુક્રવારના આયંબીલનો ઓળીનો શુભ પ્રારંભ થયો છે જેના પારણાનો સમારોહ ચૈત્ર વદ એકમ તા. ૧૩-૪-ર૦રપ ને રવિવારે સવારે ૮-૩૦ વાગ્યે વિશા શ્રીમાળી લોકગચ્છ વાડી, ચાંદીબજાર, જામનગરમાં થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh