Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના જગતમંદિરમાં બપોરે બાર વાગ્યે આરતી સાથે રામજન્મોત્સવની ઉજવણી

પૂજારી પરિવારે નૃત્ય સાથે ઉજવણી કરી પંજરી વહેંચીઃ

દ્વારકા તા. ૭: યાત્રાધામ દ્વારકા એવી ભગવાન વિષ્ણુના સ્વરૂપ શ્રીકૃષ્ણની કર્મભૂમિમાં તેમના જ સ્વરૂપ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મોત્સવ દર વર્ષની જેમ ધાર્મિક પરંપરાનુસાર ઉજવવામાં આવ્યો હતો. દ્વારકાધીશના ત્રૈલોક્ય સુંદર મંદિરમાં રામલલ્લાના જન્મોત્સવને વધાવવા સવારે ૧૦-૩૦ કલાકે દર્શન બંધ કરાયા પછી ધામક ષોડશોપચાર વિધિથી મંત્રોચ્ચાર અને અભિષેક પૂજન સાથે કાળિયા ઠાકોરને શંખ, ચક્ર, ગદા, પદ્મ સાથે ભગવાન શ્રીરામની જેમ ધનુષ્યબાણ તેમજ સિલ્કના પિતામ્બર અને કેશરી મૂગટ ધારણ કરાવી શ્રીરામ સ્વરૂપનો શ્રૃંગાર મનોરથ યોજવામાં આવ્યો હતો.

બપોરે ૧ર કલાકે શ્રીરામના જન્મ સમયે દ્વારકાધીશની વિશિષ્ટ ઉત્સવ આરતી કરવામાં આવી હતી. રામલલ્લાના જન્મ પછી પૂજારી પરિવાર નિજમંદિરમાં હર્ષોલ્લાસ સાથે નૃત્ય કરીને જન્મોત્સવને વધાવ્યો હતો. જગતમંદિરમાં બપોરે ૧-૩૦ સુધી રામજન્મ નિમિત્તે દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh