Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રામમંદિરે રામ જન્મોત્સવની ઉજવણીઃ
સલાયા તા. ૭: સલાયામાં રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સલાયા લોહાણા મહાજન વાડીએ રઘુવંશી સમાજ દ્વારા નાતનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં પંગતમાં બેસાડીને મહાપ્રસાદ લેવડાવવામાં આવ્યો હતો તેમજ રઘુવંશી સમાજ દ્વારા બ્રહ્મસમાજ અને સાધુ સમાજ અને નાતની આરતી ઉતારી મહાપ્રસાદ લેવડાવ્યો હતો. આ તકે મોટી સંખ્યામાં જ્ઞાતિ બંધુઓ જોડાયા હતાં. નાતની આરતી અને પૂજન વિધિ થાનાઈ રાજુભાઈ રિસ્કા દ્વારા કરાઈ હતી. સલાયામાં આવેલ પૌરાણિક રામમંદિરે મુખ્યાજી પ્રવિણભાઈ મહેતા દ્વારા પણ ભગવાનને શણગાર સાથે રામ જન્મોત્સવના દર્શન ભક્તોને કરાવાયા હતાં.
રામમંદિરની શેરીઓ અને ગલીઓમાં પણ શણગાર કરાયા હતાં. આ અલૌકિક દર્શનનો લાભ સલાયા તથા આજુબાજુના ગામોના લોકોએ લાભ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial