Advertisement
Author: નોબત સમાચાર

લોહાણા મહાજન વાડી સ્થિત શ્રીરામ મંદિરે ઉજવાયો ધર્મોત્સવ

'છોટીકાશી'માં રઘુવંશીઓ દ્વારા રામનવમી પર્વની ઉજવણીઃ

'છોટીકાશી' કહેવાતા જામનગરમાં પંચેશ્વર ટાવર પાસે આવેલ લોહાણા મહાજન વાડી સ્થિત શ્રીરામ મંદિરે રામનવમી પર્વની ઉજવણી નિમિત્તે રામ જન્મોત્સવ, વિશેષ પૂજા તથા ધ્વજારોહણ સહિતના કાર્યક્રમ યોજાયા હતાં. બપોરે ૧ર કલાકે શ્રીરામ જન્મોત્સવ ઉજવાયો હતો. હજારો ભક્તોએ જન્મોત્સવના દર્શન-પ્રસાદનો લાભ લીધો હતો. વિરાજ અશોકભાઈ લાલ, મુકેશભાઈ રાડિયા, નિલેશભાઈ ઠકરાર, પ્રતીકભાઈ દત્તાણી તથા 'નોબત' પરિવારના ચેતનભાઈ માધવાણી દ્વારા સજોડે પૂજાવિધિનો પુણ્ય લાભ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. અખિલ ગુજરાત લોહાણા મહાજન પ્રમુખ જીતુભાઈ લાલ, જામનગર લોહાણા મહાજન પ્રમુખ ભરતભાઈ મોદી સહિતના રઘુવંશી અગ્રણીઓ પણ ધર્મોત્સવમાં જોડાયા હતાં. પરંપરાગત રીતે ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું અને જય શ્રીરામનો જયઘોષ કરવામાં આવ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh