Advertisement
Author: નોબત સમાચાર

ત્રણ દરવાજા પાસે છરી વડે યુવાન પર હુમલાના આરોપીની જામીન અરજી રદ્દ

સામુ કેમ જોવે છે તેમ કહી કર્યાે હતો હુમલોઃ

 જામનગર તા.૭ : જામનગરના ત્રણ દરવાજા પાસે દોેઢ મહિના પહેલા એક યુવાન પર સામે કેમ જોવે છે તેમ કહી એક શખ્સે છરીથી જીવલેણ હુમલો કર્યાે હતો. જેલહવાલે થયેલા આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે ફગાવી દીધી છે.

જામનગરના ત્રણ દરવાજા વિસ્તારમાંથી ગઈ તા.રપ-ર-રપની સાંજે પોતાના મિત્ર સાથે સ્કૂટર પર જઈ રહેલા ભાવિન રોહિતભાઈ નામના યુવાન પર બાજુમાં બીજા વાહનમાં જઈ રહેલા મોઈન સલીમ ચના નામના શખ્સે સામે કેમ જુએ છે તેમ કહી છરીથી હુમલો કર્યાે હતો. પોલીસે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

જેલહવાલે થયેલા આરોપીએ જામીનમુક્ત થવા સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી તે અરજી સામે મૂળ ફરિયાદીના વકીલ બિમલભાઈ ચોટાઈ, સુમિત સોલંંકી, નીલ ચોટાઈ, મોનીલ ગુઢકા, નીખિલ પરમારે કરેલી દલીલોને ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીની જામીન અરજી રદ્દ કરવા હુકમ કર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh