Advertisement
Author: નોબત સમાચાર

માથાના દુખાવા તથા માનસિક બીમારીથી કંટાળી પરિણીતાએ કરી લીધી આત્મહત્યા

અગાઉ પણ આપઘાતનો કર્યાે હતો પ્રયાસઃ

જામનગર તા.૫ : જામનગરના ગોકુલનગરમાં રહેતા એક પરિણીતાએ માનસિક બીમારી તથા માથામાં થતાં સતત દુખાવાથી કંટાળી જઈ ગઈકાલે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. પોલીસે પતિનું નિવેદન નોંધ્યું છે.

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલી સાયોના શેરી નંંં.૬માં રહેતા દીપ્તીબેન રમેશભાઈ જગતીયા (ઉ.વ.૩૫) નામના પ્રજાપતિ પરિણીતાએ ગઈકાલે સવારે પોતાના ઘરે કોઈ ન હતું ત્યારે એક ઓરડામાં આવેલા પંખામાં ચુંદડી પરોવી ગાળીયો બનાવી ગળાટૂંપો ખાઈ લીધો હતો.

આ બાબતની તેમના પતિ રમેશભાઈ પાલાભાઈ જગતીયા ને જાણ થતાં તેઓએ નીચે ઉતારી પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં આ મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. સિટી સી ડિવિઝન ના એએસઆઈ ડી.જે. જોષીએ મૃતદેહનો કબજો સંભાળી પતિ રમેશભાઈનું નિવેદન નોંધ્યંુ છે.

જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમના પત્ની છેલ્લા ચારેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા. સતત માથામાં દુખાવો થતો હોવાથી કંટાળી ગયેલા દીપ્તીબેન અવારનવાર મરી જવાની વાતો કરતા હતા અને અગાઉ પણ તેઓએ આત્મહત્યા કરી લેવા પ્રયાસ કર્યાે હતો. તે પછી ગઈકાલે આ પરિણીતાએ વધુ એક વખત આત્મહત્યાનો પ્રયાસ કરી જિંદગીનો અંત આણી લીધો છે. પોલીસે પતિના નિવેદનની નોંધ તપાસ આરંભી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh