Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૭ : જામનગરના કનસુમરા પાસે બાંધકામના સ્થળે સેન્ટીંગ કામ કરતા એક વૃદ્ધ પગ લપસતા પટકાઈ પડ્યા હતા. તેઓનું સારવારમાં મૃત્યુ થયું છે. જામનગર તાલુકાના આમરા તથા કલ્યાણપુરના લાંબામાં બે વ્યક્તિને ખેતરમાં ઝેરી જનાવર કરડી જતાં બંને પર કાળનો પંજો પડ્યો છે. જામનગરના ખોજાનાકા વિસ્તારમાં આવેલા સંધી જમાત ડેલા નજીક રહેતા વલી મામદભાઈ ઈસુબભાઈ ેશેખ (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ ગઈ તા.૨૨ના દિને કનસુમરા પાસે ઉદ્યોગનગરમાં એક કારખાનામાં ચાલી રહેલા બાંધકામના સ્થળે સેન્ટીંગ કામ કરતા હતા.
આ વેળાએ પગ લપસી જતાં વલીમામદભાઈ પટકાઈ પડ્યા હતા. માથા તથા પગમાં ગંભીર ઈજા થતાં સારવારમાં ખસેડાયેલા આ વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. હનીફભાઈ શેખે પોલીસને જાણ કરી છે.
જામનગર તાલુકાના આમરા ગામમાં રહેતા ભવાનભાઈ શામજીભાઈ નકુમ (ઉ.વ.૬પ) નામના વૃદ્ધ ગયા ગુરૂવારે રાત્રે પોતાના ખેતરે હતા ત્યારે તેઓને પગમાં કોઈ ઝેરી જનાવર કરડી જતાં સારવાર માટે દવાખાને દાખલ કરાયા હતા. જ્યાં તેઓનું ગઈ રાત્રે મૃત્યુ નિપજ્યું છે. પુત્ર શૈલેષ નકુમે પોલીસને વાકેફ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામમાં અલ્પેશભાઈ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ કરતા મૂળ મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના ગુડી ગામના વતની ઈકરામ સકારામ બારેલા (ઉ.વ.૩૦) નામના શ્રમિક ગયા મંગળવારે સવારે ખેતરમાં કામ કરતા હતા ત્યારે કોઈ ઝેરી જનાવર કરડી જતા સારવારમાં ખસેડાયા હતા. આ યુવાનનું મૃત્યુ થયું છે. સંજય તેરસિંગ બારેલાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial