Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક ભાઈએ દાવો કરી માંગ્યો હતો મનાઈહુકમઃ
જામનગર તા.૭ : જામનગરના જાણીતા વસંત પરિવારની ખેતીની જમીન અંગે અદાલતમાં એક ભાઈએ પોતાનો હિસ્સો હોવાનું જણાવી મનાઈહુકમની માગણી કરી હતી. તે કિસ્સામાં અદાલતે મનાઈહુકમની અરજી રદ્દ કરી છે.
જામનગરના જાણીતા વસંત પરિવાર વચ્ચે ચાલતા મિલકત સંબંધીના કાનૂની જંગની વધુ વિગત મુજબ રે.સ.નં.૩૯/ર તથા ૩૯/૩ વાળી ખેતીની જમીનમાં શરદભાઈ કલ્યાણજી વસંતનો કોઈ હક્ક-હિસ્સો ન હોવા છતાં આ મિલકત સંયુક્ત હિન્દુ કુટુંબની આવકમાંથી ખરીદવામાં આવી હોવાનું જણાવી તથા તેમાં પોતાનો હિસ્સો હોવાનું કથન કરી શરદભાઈએ જામનગરની અદાલતમાં દાવો કરી મનાઈ હુકમ માંગ્યો હતો.
તે દાવામાં સ્વ. કિલુભાઈ (વિનોદરાય) કલ્યાણજી વસંતના વારસોએ શરદભાઈનો કોઈ હિસ્સો ન હોવાનું જણાવી ઉમેર્યું હતું કે, આ મિલકત સંયુક્ત કુટુંબની આવકમાંથી લીધી હોવાનો કોઈ દસ્તાવેજી પુરાવો રજૂ થયો નથી અને અન્ય દાવામાં શરદભાઈએ આવું કોઈ હિન્દુ સંયુક્ત કુટુંબ અસ્તિત્વમાં હોવાનો ઈન્કાર પણ કર્યાે છે.
અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી કિલુભાઈ વસંતના પરિવાર તરફથી રોકાયેલા વકીલ મયુર મહેતા, પુનીત કિશોરભાઈ મહેતાની દલીલો ગ્રાહ્ય રાખી શરદભાઈ વસંતની મનાઈહુકમ અરજી રદ્દ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial