Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાંથી ૧ર૦૦ કિલો ઘાસચારો જપ્ત કરાયો

કેટલ પોલીસની કડક અમલવારી

જામનગર તા. ૭: જામનગર મહાનગરપાલિકા દ્વારા કેટલ પોલીસની કડક અમલવારી કરવામાં આવી રહી છે અને ખાસ કરીને ઘાસ વેંચનારાઓનો ઘાસનો જથ્થો જપ્તિમાં લેવામાં આવી રહ્યો છે. આજે પણ ૧ર૦૦ કિલો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. જામનગર શહેરમાં અમુક સ્થળોએ ઢોર માટેના ઘાસચારાનું વેંચાણ થતું હોવાથી કેટલ પોલીસને અનુરૂપ આવા ઘાસનો જથ્થો જપ્તિમાં લેવામાં આવી રહ્યો છે. જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાની ટીમે આજે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચેકીંગ કર્યું હતું અને આશરે ૧ર૦૦ કિલો ઘાસનો જથ્થો કબજે કર્યો હતો. આ ઘાસનો જથ્થો જામનગર મહાનગરપાલિક સંચાલિત ઢોરના ડબ્બામાં મોકલી આપવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh