Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેનોને અસરઃ
રાજકોટ તા. ર૮: રાજકોટ ડિવિઝનના વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં લીલાપુર રોડ-કેસરિયા રોડ સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રીજ નંબર ર૪ માટે હાલના સ્ટીલ ગર્ડરની જગ્યાએ પીએસસી સ્લેબની જોગવાઈનું કામ એન્જિનિયરીંગ વિભાગ દ્વારા કરવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે.
જેમાં તા. ર૮-૩-ર૦રપ ની ટ્રેન નંબર ૧૯૧ર૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ રદ રહેશે. તા. ૩૦-૩-ર૦રપ ની ટ્રેન નંબર ૧૯૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ રદ્ રહેશે. જ્યારે આંશિક રીતે રદ્ થયેલી ટ્રેનોમાં ર૯-૩-ર૦રપ ના ટ્રેન નંબર ૧૯૧ર૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ વેરાવળથી ઉપડશે અને સુરેન્દ્રનગર સુધી જશે અને સુરેન્દ્રનગરથી તેને ૧૯૧૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ તરીકે ચલાવવામાં આવશે.
આમ, ર૯-૩-ર૦રપ ના ૧૯૧ર૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ અને ૧૯૧૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ બન્ને ટ્રેનો સુરેન્દ્રનગર-ગાંધીનગર કેપિટલ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ્ રહેશે.
માર્ગમાં રેગ્યુલેટ (મોડી થનાર) ટ્રેનોમાં ર૮-૩-ર૦રપ ની ટ્રેન નં. ૧૬૬૧૪ કોઈમ્બતુર-રાજકોટ એક્સપ્રેસ માર્ગમાં એક કલાક મોડી થશે. તા. ર૯-૩-ર૦રપ ની ટ્રેન નં. ૧૬૩૩૭ ઓખા-એર્નાકુલમ્ એક્સપ્રેસ માર્ગમાં ૪૦ મિનિટ મોડી થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial