Advertisement
Author: નોબત સમાચાર

સલાયાના પ્રાચીન હરસિદ્ધિ મંદિરે નૂતન ધ્વજારોહણ

મંત્રી મૂળુભાઈ બેરાના જન્મદિનને સાંકળીને

સલાયા તા. ૨૮: કેબિનેટ મિનિસ્ટર મૂળુભાઈ બેરાના જન્મદિવસ નિમિત્તે સલાયા શહેર ભાજપ દ્વારા સલાયા હરસિદ્ધિ મંદિરે નૂતન ધ્વજારોહણ કરાયું હતું.

સલાયા અતિ પ્રાચીન માઁ હરસિદ્ધિના મંદિરે કેબિનેટ મિનિસ્ટર મૂળુભાઈ બેરાના જન્મદિવસ નિમિત્તે ધ્વજારોહણનું આયોજન સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભૂવા દ્વારા કરાયું હતું. જેમાં સલાયાના વિદ્ધાન શાસ્ત્રી શ્યામભાઈ દવે તેમજ રાજુભાઈ રિસ્કા દ્વારા ધ્વજાજીનું પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં હરસિદ્ધિ મંદિરના મહંત અશોકપુરી ગૌસ્વામી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.

આ કાર્યક્રમમાં સલાયા ભાજપના પ્રભારી પરેશભાઈ કાનાણી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ અમિતભાઈ તન્ના, અરવિંદભાઈ ભટ્ટ, વિશાલ સાતા, શહેર ભાજપ ઉપપ્રમુખ સુમિત લાલ, યુવા ભાજપ પ્રમુખ વિશાલ લાલ, તેમજ ભાજપના તમામ મોરચા અને સંગઠનના હોદેદારો તેમજ કાર્યકરો, વેપારી અગ્રણીઓ અને ગ્રામજનો તથા મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આ તકે સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભૂવા દ્વારા તેમજ પધારેલ સૌ કોઈ ગ્રામજનો દ્વારા મૂળુભાઈ બેરાના તંદુરસ્ત અને નિરોગી આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh