Advertisement
Author: નોબત સમાચાર

માઈગ્રેનની બીમારીથી કંટાળી જઈ નગરના યુવતીએ ખાઈ લીધો ગળાફાંસો

મૃતકના ભાઈનું પોલીસે નિવેદન લીધુઃ

જામનગર તા. ૨૮: જામનગરની જિલ્લા જેલ સામે આવેલી પ્રેમચંદ કોલોનીમાં રહેતા એક યુવતીએ માઈગ્રેનની બીમારીથી કંટાળી જઈ કાલે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે તેણીના ભાઈનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.

જામનગરના પવનચક્કી વિસ્તારથી આગળ આવેલા જેલ રોડ પર શેઠ પ્રેમચંદ કોલોનીમાં શેરી નં.પમાં રહેતા હર્ષાબેન સુરેશભાઈ લાલવાણી (ઉ.વ.ર૩) નામના યુવતીએ ગઈકાલે સાંજે પોતાના ઘરે એક ઓરડાની છતમાં રહેલા પંખામાં દોરી બાંધી ગળાટૂંપો ખાઈ લઈ આત્મહત્યા કરી લીધી છે.

આ બાબતની તેમના પરિવારને જાણ થયા પછી હિતેશભાઈ સુરેશભાઈ લાલવાણીએ પોલીસને વાકેફ કરી હતી. દોડી ગયેલા સિટી એ ડિવિઝનના સ્ટાફે મૃતદેહનો કબજો સંભાળી મૃતક હર્ષાબેનના ભાઈ હિતેશનું નિવેદન નોંધ્યું છે.

તેમાં જણાવવામાં આવ્યા મુજબ હર્ષાબેનને લાંબા સમયથી માઈગ્રેનની બીમારી હતી. જેના કારણે સતત માથું દુખતું રહેતું હોય અને યાદશક્તિ પણ નબળી પડી ગઈ હોય હર્ષાબેન કંટાળી ગયા હતા. તેણીએ બીમારીથી કંટાળી આ પગલું ભર્યું છે. પોલીસે નિવેદન પરથી નોંધ કરી તપાસ આદરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh