Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન દ્વારા
જામનગર તા. ૨૮: તાજેતરમાં મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન રાજકોટ પ્રેરીત શ્રી કૃષ્ણ વૈશ્વિક ક્ષત્રિય પરિવાર રાજકોટ દ્વારા 'ર૧ મા સ્કીલ એવોર્ડ સેરેમની ર૦રપ'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરક્ષા દળોમાં ફરજ બજાવતા અને મેડલ વિજેતા ક્ષત્રિયોથી લઈ કલા સહિત વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવનાર ક્ષત્રિયોને સન્માનિત કરવામાં આવ્યા હતાં, જેમાં જામનગરના ટર્બન આર્ટીસ્ટ વિક્રમસિંહ જાડેજાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનિય છે કે, કોટડાયનાયાણીના વિક્રમસિંહ જાડેજાએ અનેક સમારંભોમાં મહાનુભાવોને પાઘડી બાંધી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરેલ છે. તેઓને પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ના હસ્તે સ્કીલ એવોર્ડ એનાયત થયો થતા તેમના વતન કોટડાનાયાણી તથા કર્મભૂમિ જામનગરના ગૌરવમાં વધારો થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial