Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સાત રસ્તા માર્ગે મેગા ડિમોલીશનઃ કેનાલ પાસેના ઝૂંપડાઓ ખસેડાયા

મહાનગર૫ાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કાર્યવાહીઃ

જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસથી દબાણ હટાવ ઝુંબેશ સઘન બનાવાયું છે, જ્યારે આજે સાત રસ્તાથી ખોડિયાર કોલોની માર્ગે દબાણ હટાવની કામગીરી રવામાં આવી હતી.

ખાસ કરીને ઓશવાળ સેન્ટર પાસે કેનાલ ઉપર ખડકાયેલા ઝુંપડાને દૂર કરવામાં આવ્યા હતાં. ઉપરાંત જાહેર રસ્તા ઉપર ખડકાયેલ માલસામાન કબજે લેવાયો હતો. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મોટા પાયે ડિમોલીશન કામગીરી ચાલી રહી છે. જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા છેલ્લા કેટલાક સમયથી દબાણકારો સામે ખાસ ઝુંબેશ ચલાવાઈ રહી છે. ખાસ કરીને જાહેર રસ્તા ઉપરના ધંધાકીય દબાણો ટ્રાફિક સમસ્યા સર્જતા હોવાથી વિશેષ પગલાં લેવાઈ રહ્યા છે.

જ્યારે આજે સાત રસ્તાથી ખોડિયાર કોલોની માર્ગ ઉપર દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને ઓશવાળ સેન્ટર નજીક કેનાલના કિનારા પાછળ અઢળક ઝુંપડા ખડકાઈ ગયા હોવાથી તેને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

રેંકડી, કેબિનો, રોડ ઉપર ખડકાયેલ માલસામાન, ઝુંપડા વગેરે માલસામાન મહાનગર પાલિકાએ કબજે કરી ઝુંપડાની જગ્યા ખાલી કરાવી છે. બપોર પહેલા જ લગભગ ૩ થી ૪ ટ્રેક્ટર ભરીને સામાન કબજે લેવાયો છે. એક અંદાજ મુજબ અત્યાર સુધીમાં વીસેક ઝુંપડા દૂર ખસેડાયા છે અને સાંજ સુધીમાં આશરે ૪પ થી વધુ ઝુંપડા દૂર ખસેડવામાં આવનાર છે.

અહીં જાહેર રસ્તા ઉપર બકરા રાખવામાં આવતા હોવાનું પણ ધ્યાને આવ્યું હતું. આથી એસ્ટેટ શાખાએ ત્યાંથી બકરા લઈ જવાની સૂચના આપી હતી.

આ કામગીરી નગરપાલિકાના અધિકારી મુકેશ વરણવાની સીધી દેખરેખ હેઠળ અનવર ગજણ, સજુભા જાડેજા વગેરેની આગેવાનીમાં એસ્ટેટ શાખાના વિશાળ સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે, અને કોઈ વિક્ષેપ ઊભો થાય નહીં તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh