Advertisement
Author: નોબત સમાચાર

બાકી વેરામાં ૧૦૦ ટકા વ્યાજ માફી યોજનાના છેલ્લા ચાર દિવસ બાકી

જામનગર મહાનગર પાલિકા દ્વારા

જામનગર તા. ૨૮: જામનગર મહાનગર પાલિકા દ્વારા વેરાના  બાકી લેણામાં હાલ ૧૦૦ ટકા  વ્યાજમાફી યોજના અમલમાં છે જેના છેલ્લા ચાર દિવસો જ બાકી છે. આથી રજાના દિવસોમાં પણ વેરો સ્વીકારવામાં આવનાર છે.

જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરીજનો માટે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં તા.૧૫/૦૨/૨૦૨૫ થી તા.૩૧/૦૩/૨૦૨૫ સુધી મિલકત વેરા, પાણી ચાર્જ અને વ્યવસાય વેરામાં ૧૦૦ ટકા  વ્યાજમાફી તથા કારખાના લાઈસન્સ અને ભાડાની રકમ ઉપર ચડત પેનલ્ટીમાં ૧૦૦ ટકા માફી યોજના જાહેર કરવામાં આવેલ છે.

આ યોજના તા.૩૧/૦૩/ ૨૦૨૫નાં  પૂર્ણ થતી હોય, જે લોકોનો વેરો બાકી હોય તેવા મિલકત ધારકોને પોતાનો વેરો ભરપાઈ કરી ૧૦૦ ટકા વ્યાજમાફી યોજનાનો લાભ લઇ શકે તે માટે જામનગર મહાનગરપાલિકાના કેશ કલેક્શન સેન્ટરો તા.૩૦/ ૦૩/૨૦૨૫ અને તા.૩૧/ ૦૩/૨૦૨૫ના રજાનાં દિવસોમાં પણ કાર્યરત રાખવામાં આવનાર હોય, ૧૦૦ ટકા વ્યાજમાફી યોજનાનો લાભ લેવા તમામ શહેરીજનોને આસી.કમિશનર (ટેકસ) જામનગર મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh