Advertisement
Author: નોબત સમાચાર

ભાટિયા, દ્વારકા, મીઠાપુરના ગૌ સેવકોની જિલ્લા કલેક્ટર સાથે ચર્ચા-વિચારણા

ગૌ માતા તથા નંદીઓના સદંર્ભમાં

ભાટિયા તા. ર૮: દ્વારકા, ભાટિયા, મીઠાપુર, સૂરજકરાડીના ગૌસેવકો ગૌશાળાના પ્રમુખોએ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરની મુલાકાત લઈ ગૌમાતા અને નંદીઓના સંદર્ભમાં ચર્ચા-વિચારણા કરી હતી.

દ્વારકામાં રખડતા ભટકતા પ૦૦ થી વધુ નંદીઓના કારણે ત્રાસરૂપ સમસ્યા સર્જાય છે. આખલા યુદ્ધના કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે અને ભય રહે છે.

જેના નિરાકરણ માટે રજૂઆત કરવામાં આવતા જિલ્લા કલેક્ટર રાજેશકુમાર તન્નાએ જણાવ્યું હતું કે, થોડા થોડા સમયે પ૦૦ નંદીઓને પકડીને રાજસ્થાનમાં નિર્ધારિત સ્થળે મોકલી આપવામાં આવશે. રાજ્ય સરકાર તરફથી ગૌશાળાને મળતા લાભો વહેલાસર મળે તેવી વ્યવસ્થાની ખાત્રી આપી હતી.

ગૌસેવકો રામજીભાઈ મજીઠિયા, મુકુન્દભાઈ ભાયાણી, પરેશભાઈ દાવડા, વેજાણંદભાઈ ચાવડા, ઈશ્વરભાઈ પરમાર, મહેશભાઈ ગોકાણી, શૈલેષભાઈ સોની વગેરેએ જિલ્લા કલેક્ટરને ગૌશાળાનું ચિત્ર, ગૌમાતાની મૂર્તિ, દ્વારકાધીશના ઉપરણા સાથે સન્માન કર્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh