Advertisement
Author: નોબત સમાચાર

'મહારાજ' ફિલ્મના પ્રદર્શન સામે વૈષ્ણવ સમાજ આકરા પાણીએ

નગરના સમાજે જિલ્લા પોલીસવડાને પાઠવી અરજીઃ પાંચ સામે ગુન્હો નોંધવા કરવામાં આવી માગણીઃ

તાજેતરમાં એક ઓટીટી પ્લેટફોર્મ પર 'મહારાજ' નામની ફિલ્મ પ્રદર્શિત કરવા માટે તેના નિર્દેશક સહિતના વ્યક્તિઓ દ્વારા તજવીજ કરવામાં આવી રહી છે. ત્યારે તે ફિલ્મમાં વૈષ્ણવ સંપ્રદાયની ધાર્મિક ભાવના દુભાય તે પ્રકારનું ચિત્રણ કરવામાં આવ્યું હોવાની રજૂઆત સાથે જામનગર ઉપરાંત ગુજરાતભરમાં વિરોધ વંટોળ ઉભો થયો છે. આજે જામનગરના વૈષ્ણવ સમાજે એસપી પ્રેમસુખ ડેલુને તે ફિલ્મના વિરોધમાં અરજી પાઠવી રજૂઆત કરી છે. ઉપરોક્ત ફિલ્મ જેના પરથી બનાવવામાં આવી છે તે મહારાજ નામના પુસ્તકના લેખન સૌરવ શાહ તેમજ આ પુસ્તકના પ્રકાશક અમદાવાદની આર.આર. શેઠ નામની કંપની, ફિલ્મ બનાવનાર યશરાજ ફિલ્મ્સ, સિદ્ધાર્થ પ્રેમકૃષ્ણન મલ્હોત્રા અને ઓટીટી પ્લેટફોર્મ વિરૂદ્ધ રજૂઆત કરાઈ છે. આ ફિલ્મમાં વૈષ્ણવ સમાજના અનુયાયીઓની ધાર્મિક ભાવના દુભાય તે પ્રકારનો વિષય લેવામાં આવ્યો છે. દોેઢસો વર્ષ કરતા વધુ સમય પહેલાંના કહેવાતા બનાવ અંગે સૌરવ શાહે તે બુક લખી છે અને તે બુક પરથી યશરાજ ફિલ્મ્સે ફિલ્મનું નિર્માણ કર્યું છે. ઉપરોક્ત તમામ જવાબદારો સામે આઈપીસી ૧૫૩ (એ), ૨૯૫ (એ), ૫૦૫, ૩૪ સહિતની કલમો હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવા નગરના વૈષ્ણવ સમાજ વતી મિલન એમ. મોદીએ માગણી કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh