Advertisement
Author: નોબત સમાચાર

શિયાળો એટલે તંદુરસ્તીની ઋતુ, પણ થોડું સતર્ક રહેવું પડે.... હો...

ગુમાવેલી શકિત પાછી મેળવવા અને હુષ્ટ-પૃષ્ટ રહેવા શું કરવું ?

શિયાળાની ઋતુમાં કેટલીક સતર્કતા રાખીને શરીરને હુષ્ટ-પૃષ્ટ કેવી રીતે રાખી શકાય અને ગુમાવેલી શકિત કેવી રીતે પાછી મેળવવા વરવાળા આર્યુવેદ ઔષધાલય વૈદ્ય ડી.પી. મહેતાએ કેટલીક માર્ગદર્ક ટીપ્સ રજૂ કરી છેઃ-

માલિશ કરવું: ઠંડી ઋતુમાં સરસિયું કે તલનું તેલ માલિશ રવા માટે ઉપયોગમાં લેવું જોઈએ.

કસરત-વ્યાયામનું મહત્ત્વઃ માલિશ કરી લીધા પછી જ શરીરની શકિત અને સ્થિતિ પ્રમાણે કસરત કરવી, વ્યાયામ કરવો જરૂરી છે. યોગાસન, દંડ બેઠકનો વ્યાયામ કરી શકાય કે સવાર-સાંજ ફરવા જવું કે દોડવું પણ સારી એવી કસરત છે. શિયાળામાં ચાલવું હિતાવહ છે.

સ્નાનનું મહત્ત્વઃ માલિશ કરી, કરારત કરીને તાજા પાણીથી સ્નાન કરવું વધુ ફાયદાકારક છે, જેમને વધારે ઠંડી લાગતી હોય તેઓ ગરમ પાણીથી સ્નાન કરી શકે છે. માથા પર ગરમ પાણી ન નાખવું.

આદું-સુંઠનું સેવનઃ શિયાળામાં આદું, સંુઠ, પીપરી મૂળ, ગંઠોડા વગેરેનું સેવન હિતકારક છે.

શિયાળામાં ખાવા જેવા શાકભાજીઃ ગાજર, મેથી, રીંગણા, મૂળા વગેરે.

પૌષ્ટિક ફળઃ સફરજન, સંતરા, દ્રાક્ષ, મોસંબી, જામફળ, બોર, કેળાં, ખજૂર, આમળા જેવા પૌષ્ટિક ફળનું સેવન કરી શકાય.

શિયાળામાં આરોગ્ય ન બગડે તે માટે શું કરવું જોઈએઃ ગરમ, વિશ્વાસવાળા, પચવામાં ભારે, મીઠા, ખાટા, સહેજ ખારા રસવાળા આહાર દ્રવ્યો ખાવા જોઈએ, તેમજ વધુ જાડા તથા ગરમ કપડાં પહેરવા જોઈએ અને હુંફમાં રહેવું જોઈએ.

પોષ્ટિક ખોરાકઃ શિયાળાની ઋતુમાં પુરતા પ્રમાણમાં ચોખ્ખા દૂધ, ઘી જેવા પૌષ્ટિક પદાર્થો ખાવાનો રિવાજ આજે પણ છે. સૌએ પોતાની શકિત અનુસાર પૌષ્ટિક પદાર્થોનું સેવન કરવું જોઈએ. બદામ, કાજુ, અખરોટ, કિસમિસ, ખજૂર, કોપરૃં, અડદની દાળ, ગુંદર, ચારોળી, તલ, અડદ, શેરડી, ગોળ, કાળા તલનું કચરિયું, લસણ વગેરે પણ યથાશકિત ખાવાજોઈએ.

શકિત આપનારા ઔષધોનું સેવન પણ કરી શકાયઃ આમળાનું અશ્વગંધા, શતાવરી, રસાયણ ચૂર્ણ, સારી ફાર્મસીનો ચ્યવનપ્રાશ, જેઠીમધ વગેરે દ્રવ્યોનું સેવન શિયાળામાં બળ, આરોગ્ય, રસાયણ ગુણ આપનારા છે, ફાયદાકારક છે.

ઘરે પાક બનાવોઃ પ્રત્યેક શિયાળામાં પાક બનાવીને ખાવાની પ્રણાલી યુગોથી ચાલી આવે છે. જુદાં જુદાં વસાણાં નાખીને સુખડી બનાવવી, અડદિયા પાક, પેથીપાક, ગુંદર પાક જેવા ઘરગથ્થું પાક ઘેર ઘેર બનાવી કેટલાય કુટુંબો આખો શિયાળો ખાતા હોય છે. પાચન શકિતનો ખ્યાલ રાખી સવારે સાંજે આ પાક ખાતા રહેવાથી તેમજ આયુર્વેદના દ્રવ્યો આમળા, મૂસળી, કૌચા વગેરેથી પાક વિધિથી તૈયાર થયેલ પાક ખાવાથી સ્ત્રી-પુરૂષ-બાળકોને પણ શકિત, બળ, સ્ફૂર્તિ અને આરોગ્ય મળે છે.

શિયાળામાં હાથ-પગના વાઢિયાથી બચવા માટેઃ શિયાળામાં હાથ-પગના તળિયામાં વાઢિયા થાય છે. ચિરા પડે છે, આનાથી બચવા માટે તેમજ આગળ વધતા અટકાવવા માટે ઠંડીમાં સુતરાઉ-કોટનના ગરમ પગ મોજા પહેરવા, સાધારણ ગરમ પાણીથી સ્નાન કરવું, આખા શરીરે અને પગના તળિયે હંમેશા ખૂબ માલિશ કરવી. વાઢિયા થયા હોય તેમણે પગને ગરમ પાણીથી ધોઈ વાઢિયા-ચિરામાં દિવેલ, કોકમનું ઘી કે તૈયાર મળતા જાત્યાદિ તેલ, જાત્યાદિ મલમ નિયમિત લગાડતા રહેવું.

શિયાળામાં થતા ચામડીના રોગોઃ શિયાળામાં થતા ચામડીના રોગોમાં સંયમ ખૂબ જ હિતાવહ છે. મધુર, ખાટાં, ભારે, ચિકણા અને પૌષ્ટિક આહાર વધારે પ્રમાણમાં ખવાય તો કફજન્ય કેટલાક ચામડીના રોગો થવાની શકયતા રહે છે. શ્યિાળામાં થતા ચામડીના રોગો માટે ધમાસો અથવા લીમડાના પાનનો ઉકાળો કરી ગરમ પાણીથી સ્નાન કરવું અને રોગવાળા ભાગને સાફ કરવું. શરીરે ખંજવાળ આવે તો સરસિયું તેલ લગાડવું.

શિયાળામાં ઠંડા પીણા ન પીશોઃ ઠંડા પીણા કે બરફવાળા પીણા કારણ વિના કે સમજ વિના શિયાળામાં પીવા હિતાવહ નથી.

શિયાળામાં થતા શરદી-ઉધરસ, કફમાં ઉપયોગી ઔષધોઃ શુંઠ, મરી, પીપર, અજમો, અરડૂસી, તુલસી, હળદર અને મધ, જેઠી મધ વગેરેનું સેવન કરવું જોઈએ.  સર્વે સન્તુ નિરામયાઃ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh