Advertisement
Author: નોબત સમાચાર

ગ્રાન્ટેડ શાળાઓને તાળા લાગી જાય તેવી સ્થિતિ

                                                                                                                                                                                                      

ગુજરાતના શિક્ષણ વિભાગની સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓમાં ભેદભાવભરી નીતિ/p>

ખંભાળીયા તા. ૪: ગુજરાત રાજયમાં સરકારી તથા ગ્રાન્ટેડ શળાઓમાં સરકાર દ્વારા જ અન્યાયી ભેદભાવભરી નીતિનો અમલ કરીને ગ્રાન્ટેડ શાળાઓનો મૃત્યુઘંટ વાગે તેવી સ્થિતિ સર્જવા રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓના અસ્તિત્વ સામે ગ્રામ્ય પંથકમાં મોટો સવાલ ઊભો થવાની સ્થિતિ થવા જઈ રહી છે.

બધી જગ્યાએ સરકાર પહોંચે તેમ ન હોય તથા સરકારી ફી મુજબ સરકારના નિયમો મુજબ પોતાના ખર્ચે જમીન મકાન તથા સગવડો ઊભી કરીને સરકારની ગ્રાન્ટથી પગાર તથા અન્ય સુવિધાઓ મેળવીને વર્ષોથી ચાલતી શાળાઓ ગ્રાન્ટેડ જ્યાં સરકારી શાળાઓ ન હોય અને ખાનગી શાળાઓની મોટી ફી હોય ત્યાં આશીર્વાદરૂપ હતી.

સરાસરી હાજરી ગ્રામ્ય વિભાગમાં વર્ગદીઠ ૨૪ તથા શહેરી વિસ્તારમાં ૩૬ છે. અગાઉ તા. ૮-૩-૧૧ ના પરિપત્ર મુજબ સરકારે જો એક વર્ષ ઓછી સરાસરી હોય તો ગ્રાન્ટ કાપ સાથે વર્ગો ચાલુ રખાતા હતા અને સતત ત્રણ વર્ષ સુધી આવું રહે તો વર્ગ બંધ થતા હતા. આ તા. ૮-૩-૧૧ નો ઠરાવ સરકારે તા. ૭-૧૨-૨૪ના ઠરાવથી રદ કર્યો. નવાઈની વાત તો એ છે કે આ નિયમ સરકારી શાળાને લાગુ નથી. ત્યાં વર્ગમાં સંખ્યા ૨૪ ને બદલે ૧૦ કે ૩૬ ને બદલે ૧૫ થાય તો પણ વર્ગ ચાલુ. પણ ગ્રાન્ટેડમાં વર્ગ બંધ !! સરાસરી હાજરી માટે સરકારી અને ગ્રાન્ટેડની અલગ જોગવાઈ, ગ્રાન્ટેડ શાળાના મૃત્યુઘંટ સમાન હોય, દ્વારકા જિલ્લાના અગ્રણીઓ હિતેન્દ્રભાઈ આચાર્ય, મેસુરભાઈ રાવલીયા, નવનીતભાઈ જોશી દ્વારા માંગણી કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh