Advertisement
Author: નોબત સમાચાર

અલીયાના યુવાને વ્યાજની ઉઘરાણીથી કંટાળી કર્યું વિષપાનઃ સારવારમાં ખસેડાયો

પોલીસે તેનું નિવેદન નોંધી ગુન્હો રજીસ્ટર કર્યાે:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરના અલીયા ગામના એક યુવાને બે વર્ષ પહેલાં રૂ.રપ હજાર મહિનાના રૂ.૩૫૦૦ વ્યાજ લેખે લીધા પછી દોઢ વર્ષ સુધી વ્યાજ ભર્યું હતું. તે પછી વ્યાજ આપી ન શકાતા બે વ્યાજખોરે ધમકાવવાનું શરૂ કરતા આ યુવાને ઝેરી દવા પીધી છે. પોલીસે તેનું નિવેદન નોંધી ગુન્હો નોંધ્યો છે.

જામનગર તાલુકાના અલીયા ગામમાં રહેતા  ભાવેશ નરેશભાઈ પરમાર નામના મંડપ ડેકોરેશનનંુ કામ કરતા યુવાને મોડા ગામના અરવિંદસિંહ જાડેજા તથા તેના પુત્ર હરદીપસિંહ અરવિંદસિંહ જાડેજા સાથે વ્યાજખોરી કરવા અંગે ફરિયાદ નોંધાવી છે. ભાવેશે આ શખસોના ત્રાસથી ઝેરી દવા પીધી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ બે વર્ષ પહેલાં અરવિંદ તથા હરદીપસિંહ પાસેથી રૂ.રપ હજાર દર મહિનાના રૂ.૩૫૦૦ લેખે વ્યાજ ચૂકવવાની બોલી કરી ભાવેશભાઈએ લીધા પછી દોઢ વર્ષ સુધી વ્યાજ ભરપાઈ કર્યું હતું પરંતુ થોડા સમયથી વ્યાજ આપી ન શકાતા આ શખ્સો અવારનવાર ફોન કરી ઉઘરાણી કરી હેરાન પરેશાન કરતા હતા. તેના ટેન્શનમાં આવી જઈ ભાવેશભાઈએ સોમવારે કોઈ ઝેરી દવા પી લીધી છે. સારવારમાં ખસેડવામાં આવેલા આ યુવાનનું નિવેદન નોંધી પોલીસે અરવિંદસિંહ તથા હરદીપસિંહ સામે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh