Advertisement
Author: નોબત સમાચાર

કોમ્બીનેશન ઓફ લાફ્ટર એન્ડ આયુર્વેદ હ્યુમરોસોફીનું આયોજન

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કોમ્બીનેશન ઓફ લાફ્ટર એન્ડ આયુર્વેદ હ્યુમરોસોફીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. ૫-૬-૨૫, ગુરૂવારે રાત્રે ૮:૩૦ વાગ્યે હાલાર શ્રીમાળી સ્થાનકવાસી જૈનસમાજ વાડી, વિકટોરીયા પુલ પાસે, મહાપ્રભુજીની બેઠક રોડ, જામનગરમાં રાખવામાં આવ્યો છે.

જેમાં ગુજરાતના પ્રસિદ્ધ હાસ્યકાર ડો. અવની વ્યાસ પોતાની આગવી શૈલીમાં લાફટર ડોઝ આપી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે તેમજ બાળ વકતા અને મોટીવેશનલ સ્પીકર ચાર્મી ગુણા વિશેષ લાગણી, સંવેદના અને પ્રેમનો ઉત્સવ એટલે પરિવારોત્સ્વ પર પોતાના વિચારો રજુ કરશે. આ તકે મેયર વિનોદભાઈ ખીમસુર્યા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી સહિતના મહેમાનો ઉપસ્થિત રહેશે, તેમ નિમંત્રક અશ્વધા સ્વદેશી નિલેશ પ્રા. લી. દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh