Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એએચટીયુની ટીમ રાજસ્થાન પહોંચીઃ
જામનગર તા. ૪: જોડિયા પંથકમાંથી વર્ષ ૨૦૨૨માં એક સગીરાનું અપહરણ કરાયાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. તેની તપાસ આરોપી મળતો ન હતો. આ શખ્સ રાજસ્થાનના પાલીમાં હોવાની બાતમી મળતા ત્યાં ધસી ગયેલી એએચટીયુ ટીમે આ શખ્સ તથા સગીરાને પકડી પાડ્યા છે.
જોડિયા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૨માં એક સગીરા ગુમ થઈ ગઈ હોવાની જાણ પોલીસને કરાયા પછી પોલીસે ગુન્હો નોંધી આરોપીની શોધ શરૂ કરી હતી.
તે દરમિયાન જામનગરની એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ ટીમને આ શખ્સ તથા સગીરાની બાતમી મળતા પીઆઈ એ.એ. ખોખરની સૂચનાથી એએચટીયુ ટીમ રાજસ્થાન ધસી ગઈ હતી. ત્યાંના પાલી શહેરમાંથી આ સગીરા તથા આરોપી રાજુરામ રાણારામ રાઠોડ નામના શખ્સને દબોચી લીધા છે. જામનગર ખસેડાયા પછી આ શખ્સની આઈપીસી ૩૬૩ના ગુન્હામાં જોડિયા પોલીસે ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial