Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૮.૬ ડીગ્રી

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭ર ટકાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરમાં બુધવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન નજીવા વધારા સાથે મહત્તમ તાપમાન ૩૮.૬ ડીગ્રી, જ્યારે આંશિક ઘટીને લઘુતમ તાપમાન ર૮.૪ ડીગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાન વધુ રહેતા ગઈકાલે બપોરે પણ વધારે ગરમી અનુભવાઈ હતી.

નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭ર ટકા રહ્યું હતું. ભેજના આટલા વધુ પ્રમાણના પગલે બફારો યથાવત્ રહ્યો હતો. આકરા તાપ અને અસહ્ય બફારાના પગલે પ્રજાજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઉકળાટમાંથી રાહત મળે તે માટે લોકોએ એસી અને એરકૂલર તથા ઠંડાપીણાનો સહારો લીધો હતો.

જામનગરમાં પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૩પ થી ૪૦ કિ.મી.ની રહેવા પામી હતી. ગતિમાન પવનના પગલે સાંજથી ધીમે-ધીમે વાતાવરણમાં ઠંડક પ્રસરતા પ્રજાજનોએ હાશકારો અનુભવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh