Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાક્ષીઓ તથા અન્ય વ્યક્તિઓને જે તે અદાલત સુધી નહીં ખાવો પડે ધક્કોઃ
જામનગરની અદાલતમાં ફોર્મલ વિટનેસ ડિપોઝીશન સેન્ટર આજથી ખૂલ્લું મૂકવામાં આવ્યું છે. ન્યાયની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવા માટે સુપ્રિમ કોર્ટ તથા હાઈકોર્ટે આપેલા નિર્દેશ મુજબ આજે સવારે જામનગરની અદાલતમાં આ સેન્ટર ખૂલ્લું મુકવામાં આવ્યું છે. અદાલતોમાં ચાલી રહેલા જુદા જુદા કેસમાં કેટલીક વખત અન્ય જિલ્લા કે રાજ્યમાં રહેતા સાક્ષીઓ અથવા રિટાયર્ડ થયેલા સરકારી અધિકારીઓ વગેરેની જુબાની માટે હાજર રહેવાનું હોય છે ત્યારે મુસાફરી કરવા કે હાજર રહેવા સક્ષમ નથી તેવા વ્યક્તિઓ જિલ્લાકક્ષાએ જે તે સેન્ટરમાં ઉપસ્થિત રહી ન્યાયની પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. તેથી એમ કહી શકાય કે સાક્ષી સહિતના વ્યક્તિઓને મુસાફરી ખર્ચ અને આનુષાંગિક અન્ય ખર્ચમાંથી મુક્તિ મળવા પામશે. આજે સવારે પ્રિન્સીપાલ એન્ડ સેશન ડિસ્ટ્રીકટ જજ એન.આર. જોષી તથા અન્ય ન્યાયમૂર્તિઓની ઉપસ્થિતિમાં આ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. આ વેળાએ જિલ્લા સરકારી વકીલ તેમજ વકીલ મંડળના પ્રમુખ સહિતના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial