Advertisement
Author: નોબત સમાચાર

મારૂતિનંદન હનુમાન મંદિરે ઉજવાયો પ્રાગટ્યોત્સવ

દ્વારકાના સિદ્ધનાથ મહાદેવ પરિસરમાં

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧૫: દ્વારકામાં સુપ્રસિદ્ધ સિદ્ધનાથ મંદિર પરિસરમાં આવેલ મારૂતિ નંદન હનુમાનજી મંદિરે હનુમાનજીના પ્રાગટ્યોત્સવ પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી.

હનુમાનજીના વિશેષ શ્રૃંગાર સાથેના દર્શન-મનોરથનો લાભ બહોળી સંખ્યામાં સ્થાનિકો તેમજ બહારગામથી પધારેલ ભાવિકોએ લીધો હતો. હનુમાન જયંતીના દિવસે સવારે પ-૩૦ થી ૬ કલાક સુધી જન્મોત્સવની અભિષેક પૂજા અને આરતી યોજાઈ હતી. સવારે ૧૦ થી ૧ર સુધી સત્યનારાયણ ભગવાનની  કથા તેમજ બપોરે ૧ર કલાકથી બટુક ભોજનનું આયોજન કરાયું હતું. સાંજે પ વાગ્યાથી સુંદરકાંડ તથા હનુમાન ચાલીસીના પાઠ યોજવામાં આવ્યા હતાં. રાત્રે ૮-૩૦ વાગ્યે ઉત્સવ મહાઆરતી તેમજ રાત્રે ૧૦-૩૦ વાગ્યા સુધી ધૂન તથા ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનમાં મંદિરના પૂજારી ભદ્રેશભાઈ દવે તેમજ મારૂતિ નંદન ગ્રુપના પરેશભાઈ, મહેન્દ્રભાઈ તેમજ અન્ય સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh