Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
થિંકીંગ ટુ ગેધર સંસ્થાએ સરકારને પાઠવ્યા અભિનંદન
જામનગર તા. ૧પઃ ગણોતિયાઓની જમીન નવી શરતમાંથી જુની શરતમાં થઈ ન હતી અને સાંથણીની જમીન પણ નવી શરતમાં જ રહી હતી. આ અંગે સરકારે તાજેતરમાં ખેડૂતોના હિતમાં નિર્ણય કરતા સરકારને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
આઝાદી પૂર્વે જમીનદારોની જમીન વાવનારાઓની હાલત ગુલામી જેવી હતી, પરંતુ આઝાદી મળતા જ શ્રેષ્ઠ રાષ્ટ્રીય નેતાઓએ ગણોતિયાઓને જમીન માલિક બનાવ્યા અને સરકારે આ પછી જે જે ગામમાં સરકારી જમીનો પડતર હોય ત્યાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં લેન્ડ કમિટીએ સર્વિસમેન, એક્સ સર્વિસમેન, મંજૂરો વગેરેને સાંથણીમાં જમીનો આપી, પરંતુ ભ્રષ્ટાચારના પાપે પોણી સદીમાં ગણોતિયાઓની જમીનો નવી શરતમાંથી જુની શરતમાં થઈ નહીં તેમજ સાંથણીની જમીનો પણ નવી શરતમાં જ રહી.
ગામડાના ગરીબ ખેડૂતો જુની શરતમાં ફેરવવા માટે મોટી રકમ આપી શકે તેમ ન હતાં તેથી નવી શરતમાં જ રહેતા કેટલીક સેવાભાવી સંસ્થાઓ અને સ્વાર્થ વગરના કાર્યકરો વગેરેએ ગામડાના ગરીબ ખેડૂતોની ખેતીની જમીન ખેતીના હેતુ માટે જુની શરતમાં ફેરવી આપવા રજૂઆતો કરતા જામનગરની થિંકિંગ ટુ ગેધર સંસ્થાએ પણ માંગ કરી હતી. ખાસ કરીને વડાપ્રધાન, મુખ્યમંત્રી, રાજ્યપાલ, પક્ષના નેતા સહિતના કેન્દ્ર-રાજ્ય સરકારના મંત્રીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
આખરે રાજ્ય સરકારે આ અંગે સકારાત્મક અને ખેડૂતલક્ષી નિર્ણય લેતા થિંકિંગ ટુ ગેધરના સંયોજક કિશોરભાઈ સોનીએ સરકારને અભિનંદન પાઠવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial