Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકોની એસ્ટેટ શાખા દ્વારા ઓશવાળ સર્કલથી સાધના કોલોની રોડ પરના દબાણો હટાવાયા

શેરડીના રસના ચિચોડા, તરબૂચ અને કેરીના સ્ટોલ સહિતના એક ડઝનથી વધુ મંડપ સહિતના દબાણો હટાવાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં દબાણ હટાવવા માટેની ઝુંબેશ અવિરત ચાલુ રાખવામાં આવી છે. જેના ભાગરૂપે આજે ઓશવાળ હોસ્પિટલના સર્કલથી પવનચક્કી થઈને સાધના કોલોની, રણજીતસાગર રોડ પરના તમામ સ્થળોએથી દબાણ દૂર કરવાની કામગીરી મોટાપાયે હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની મોટી ટૂકડી આજે રણજીતસાગર રોડ પર દોડતી થઈ હતી, અને ત્રણ જેટલા ટ્રેક્ટરમાં રેંકડી-પથારાના માલસામાનની જપ્તિકરણની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉપરોક્ત માર્ગે મોટાપાયે શેરડીના રસના ચિચોડા અથવા તો કેરીના રસના સ્ટોલ ઊભા કરાવી દેવાયા હતાં. ઉપરાંત તરબૂચ, કેરી તથા અન્ય ફળ-ફ્રૂટના વેંચાણના સ્ટોલ માટે હંગામી છાવણી ઊભી કરી દેવામાં આવી હતી. તેવા ૧પ જેટલા સ્ટોલ હટાવી લેવામાં આવ્યા છે અને આશરે ત્રણ ટ્રેક્ટર ભરીને માલસામાન જપ્ત કરીને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયો છે. એસ્ટેટ શાખાની આ કાર્યવાહીને લઈને ઉપરોક્ત વિસ્તારમાં રેંકડી-પથારાના ધંધાર્થીઓમાં ભારે નાસભાગ થઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh