Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોઈપણ જ્ઞાતિમાં મૃત્યુ થાય તો તમામ વિધિ કરવામાં સતત સેવારતઃ
ખંભાળિયા તા. ૧પઃ સામાન્ય રીતે આપણે જીવીત વ્યક્તિની પૂજા થતી હોય પણ મૃત્યુ પામનાર મૃતકથી લોકો ભાગતા હોય, જો સ્વજન ના હોય તો ત્યારે ખંભાળિયાના વેપારી અગ્રણી જગુભાઈ રાયચુરાની અનોખી માનવતા સેવા પ્રશંસનીય બની છે.
ખંભાળિયા પાલિકા સદસ્ય, પૂર્વ પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, યાર્ડ ડાયરેક્ટર, રઘુવંશી અગ્રણી, હિન્દુ સ્મશાન સમિતિ પ્રમુખ, રીટેલ ગ્રેઈન મર્ચન્ટ એસો. પ્રમુખ, જગુભાઈ રાયચુરાને ખબર પડે કે કોઈને ત્યાં કોઈ વ્યક્તિનું મુત્યુ થયું છે કે તુરત જ તેની નનામી તૈયાર કરવા મૃતદેહને નવડાવી તૈયાર કરવા તેની નનામી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે બાંધવી સાથે વસ્તુઓ તૈયાર કરાવવાથી માંડીને સ્મશાને પણ કઈ રીતે અગ્નિદાહ આપવો, પ્રદક્ષિણા, વિસામોના માર્ગદર્શન સાથે નનામીને કાંધ આપવા પણ પહોંચી જાય છે. અતિ વ્યસ્ત હોવા છતાં કોઈને ત્યાં મૃત્યુની જાણ થાય કે તુરત જ સમય જોયા વગર તે દુઃખી પરિવારને ત્યાં પહોંચી સાંત્વના આપીને તેમને આ દુઃખના સમયમાં મદદરૂપ થાય છે.
પરિચીત હોય કે અપરચિત લોહાણા જ્ઞાતિના કે અન્ય જ્ઞાતિના કોઈ ભેદભાવ વગર મૃતાત્માની અંતિમ વિધિમાં તેમનું આ માનવતા પૂર્ણ કાર્ય ખૂબ જ પ્રશંસનીય બન્યું છે. આધુનિક સમયમાં લોકો નિયમો ગરિમા જાળવવી પણ જાણતા ના હોય ત્યારે પ્રાચીન પરંપરા સાથે નનામી બાંધવાથી અંતિમ યાત્રા અને 'ફૂલ' લેવા સુધી તેઓ જાતે માર્ગદર્શન આપે છે જે સમગ્ર શહેરમાં પ્રશંસનિય બન્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial